Bollywood રામ જન્મભૂમિ કેસ પરની ફિલ્મમાં સંજય દત્ત-સની દેઓલ વકીલ બનશે By The Venus Times - July 10, 2023 0 39 Share on Facebook Tweet on Twitter દાયકાઓ સુધી ચાલેલા રામ જન્મભૂમિ કેસ પર પણ હવે ફિલ્મ બનવાની છે. તેમાં વકીલ તરીકે સની દેઓલ તથા સંજય દત્ત જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક કે અન્ય બાબતો વિશે હજુ માહિતી પ્રગટ થઈ નથી. પરંતુ, એક દાવા અનુસાર ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી શરુ થઈ જવાનું છે. મુંબઈમાં જ અયોધ્યાનો સેટ બનાવવામાં આવશે અને કોર્ટ રુમ પણ અહીં જ તૈયાર કરાશે. સની દેઓલની ‘ગદ્દર ટૂ’ આગામી ઓગસ્ટમાં રીલીઝ થવાની છે. તે પછી તરત જ તે આ ફિલ્મમાં વ્યસ્ત થઈ જાય તેવી સંભાવના છે. સની દેઓલ ‘દામિની’ ફિલ્મના કોર્ટ રુમ ડ્રામામાં વકીલની ભૂમિકાથી બહુ લોકપ્રિય થયો હતો. હવે રામ મંદિર માટે પણ તે બહુ ઉગ્ર દલીલો કરતો જોઈ શકાશે. સની અને સંજય દત્ત આ પહેલાં ‘યોદ્ધા’ તથા’ક્ષત્રિય’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. ફિલ્મની રીલીઝ ડેટ સહિત અન્ય બાબતો અંગે હજુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.