શિમલાનું પ્રાચીન શિવમંદિર ભૂસ્ખલનની લપેટમાં, 25 થી 30 લોકો દટાયાં, અત્યાર સુધી 9ના મોત

0
74

ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં બે માસુમ બાળકો સહિત 9ના મોત

શિમલાના ડીસી આદિત્ય નેગી અને એસપી સંજીવ ગાંધી ઘટનાસ્થળે હાજર

હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા મુશળધાર વરસાદને કારણે લોકોમાં હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદના કારણે તબાહીના અહેવાલો સામે આવી રહ્યા છે. સોલનમાં ભૂસ્ખલનને કારણે 7 લોકોના મોત થયા છે અને 3 લોકો ગુમ છે. તે જ સમયે, રાજધાની શિમલામાં પણ ભૂસ્ખલનને કારણે એક મોટી દુર્ઘટના થઈ હતી. પર્વત તૂટીને સમરહિલના શિવ મંદિર પર પડ્યો. કાટમાળ નીચે લગભગ 24થી વધુ લોકો દટાયાની આશંકા છે. અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે અને આફત અટકવાનું નામ નથી લઈ રહી. શિમલાના ઉપનગર સમરહિલમાં આજે સવારે એક મોટો ભૂસ્ખલન થયો હતો. આ ઘટનામાં પ્રાચીન શિવ બારી મંદિરનો નાશ થયો હતો. આ અકસ્માતમાં લગભગ 24 લોકો દટાયા હોવાની આશંકા છે. જેમાં એક પરિવારના સાત લોકોનો સમાવેશ થાય છે. રાહત અને બચાવ ટીમોએ કાટમાળમાંથી 9 મૃતદેહોને બહાર કાઢ્યા છે. જેમાંથી બે માસુમ બાળકો છે. શિમલાના ડીસી આદિત્ય નેગી અને એસપી સંજીવ ગાંધી ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કામગીરીની દેખરેખ કરી રહ્યા છે. માહિતી અનુસાર જ્યાં આભ ફાટવાની ઘટના બની હતી ત્યાં બંને તરફથી રસ્તો ધોવાઈ ગયો હતો અને તેના લીધે રેસ્ક્યૂ ટીમને બચાવ કામગીરી કરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં કાટમાળમાંથી ચાર શબ કાઢવામાં સફળતા મળી હતી. એક નાની બાળકીનું શબ પણ મળ્યું છે. આ બધા એક જ પરિવારના સભ્યો હોવાની માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 
સીએમ સુક્ખુએ શોક વ્યક્ત કર્યો 
સોલનમાં આભ ફાટવાની ઘટનામાં સાત લોકોના મોત પર સીએમ સુખવિંદર સુક્ખુએ ટ્વિટ પર દુઃખ વ્યક્ત કરતાં ટ્વિટ કરી કે અમે તંત્રને દરેક સંભવ મદદના આદેશ આપ્યા છે. આ હૃદયદ્રાવક ઘટના છે. આ મુશ્કેલ સમય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here