દેશનાં 8 રાજ્યમાં 72 જગ્યાએ NIAના દરોડા: ગાંધીધામના કુલવિંદર સિદ્ધુને ત્યાં કાર્યવાહી

0
65
ટેરર ફંડિગના મામલે તપાસ; પાકિસ્તાન સાથે કનેક્શન મળ્યું
ગાંધીધામના કિડાણામાં કુલવિંદર સિદ્ધુ નામના શખસની તપાસ હાથ ધરી

નવી દિલ્હી : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ ગેંગસ્ટર સિન્ડિકેટ અંગે મોટી કાર્યવાહી કરી છે. NIAએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 70થી વધારે જગ્યાએ દરોડા પાડ્યા છે. મળતી જાણકારી પ્રમાણે, NIAના આ દરોડા ગેંગસ્ટર અને ક્રાઈમ સિન્ડિકેટ સાથે જોડાયેલા કેસમાં પાડવામાં આવ્યા છે. આ દરોડા ટેરર ​​ફંડિંગને લઈને ગેંગસ્ટર અને તેના નજીકના લોકોનાં ઠેકાણાં પર પાડવામાં આવ્યા છે. ગુજરાતના ગાંધીધામમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કુલવિંદર લાંબા સમયથી બિશ્નોઈનો સાથી છે. તેની સામે બિશ્નોઈ ગેંગના સાથીઓને આશ્રય આપવાનો કેસ છે. આ ઉપરાંત કુલવિંદર ઈન્ટરનેશનલ ડ્રસ સિન્ડિકેટ સાથે સંકળાયેલો હોવાનું એનઆઈનાં સૂત્રોનું કહેવું છે.નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કચ્છ ગાંધીધામના કિડાણામાં કુલવિંદર સિદ્ધુ નામના શખસની તપાસ હાથ ધરી છે. કુલવિંદર સિદ્ધુ લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી જોડાયેલો છે. પહેલાં પણ બિશ્નોઈ ગેંગને આશરો આપવાના મામલામાં કુલવિંદરનું નામ સામે આવી ચૂક્યું છે. કુલવિંદર સિદ્ધુ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટમાં પણ જોડાયેલો છે એવું સૂત્રો જણાવી રહ્યાં છે.ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા અને ગોલ્ડી બ્રાર પહેલેથી જ NIAના રડાર પર છે. NIAએ આ મામલે ઘણા ગેંગસ્ટરોની પૂછપરછ પણ કરી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આતંકવાદવિરોધી એજન્સી NIAએ ઉત્તર ભારત અને દિલ્હીમાં 50થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ પછી એજન્સીએ એક ગેંગસ્ટર અને વકીલની પણ ધરપકડ કરી હતી.NIAની આ દરોડા તમામ જગ્યાઓ પર એકસાથે કરવામાં આવ્યા છે. NIAનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, છ ગેંગસ્ટરોની પૂછપરછ દરમિયાન ઘણા વધુ ગેંગસ્ટરોનાં નામ સામે આવ્યાં હતાં. NIA પૂછપરછ કરાયેલા ગેંગસ્ટરોનાં ઘરો અને તેમના, તેમના સહયોગીઓ સાથે જોડાયેલાં અન્ય સ્થળો પર દરોડા પાડી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગેંગસ્ટરોનાં અન્ય દેશોમાં સંપર્ક હોવાનો મામલો સામે આવ્યો છે. ભારતમાં લોરેન્સ બિશ્નોઈ અને બવાના ગેંગના નામે આતંક માટે ઘણું ફંડિંગ છે.અગાઉની કાર્યવાહીમાં NIAએ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ ધરપકડ કરાયેલા તમામ ગેંગસ્ટરોની પૂછપરછ કરી હતી. આ પછી NIAના હાથમાં પાકિસ્તાન-ISI અને ગેંગસ્ટરના ગઠબંધનની ઘણી માહિતી આવી છે. એના આધારે ફરી એકવાર ગુંડાઓનાં ઠેકાણાં પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.આ પહેલાં શનિવારે NIA દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના રાજ્ય પદાધિકારીઓનાં ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. રાજસ્થાનના જયપુર, કોટા, સવાઈ માધોપુર સહિત અનેક સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હતા. ધાર્મિક જૂથો વચ્ચે નફરતને પ્રોત્સાહન આપવા અને આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાના મામલામાં NIA દ્વારા એક પછી એક દરોડા અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.તપાસમાં સામે આવ્યું છે કે આતંકી-ગેંગસ્ટર-ડ્રગ તસ્કરનું નેટવર્ક ઇન્ટરસ્ટેટ નેટવર્કના માધ્યમથી બોર્ડર પારથી હથિયાર, બોમ્બ, વિસ્ફોટક અને આઈઈડી જેવા આતંકવાદી હાર્ડવેરની તસ્કરીમાં જોડાયું હતું. બીજી બાજુ, NIAએ કેનેડા સ્થિત સંધુ અંગે જાણકારી આપનારને 15 લાખ રૂપિયાનું ઈનામ આપવાની ઘોષણા કરી છે. NIA એ 15 ફેબ્રુઆરીએ કેનેડામાં રહેતા ગેંગસ્ટરથી આતંકવાદી બનેલા લખબીર સિંહ સંધુ ઉર્ફે ​​’લાંડા’ની જાણકારી આપનારને 15 લાખ રૂપિયા ઇનામ આપવાની ઘોષણા કરી હતી, જે પંજાબમાં આતંકી મામલે વોન્ટેડ છે.પંજાબનો રહેવાસી સંધુ ફરાર છે અને 2022માં મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર ગ્રેનેડ હુમલા સંબંધિત કેસમાં સુરક્ષા એજન્સીઓ વોન્ટેડ છે.વર્ષ 2022માં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAએ અનેક મોટા અભિયાન ચલાવીને સ્પેશિયલ ઓપરેશનમાં 456 લોકોની ધરપકડ કરી છે અને 109 ખતરનાક ગુનેગારોને સજા પણ કરી છે. આ એક વર્ષના ગાળામાં દેશના વિવિધ ભાગોમાં નોંધાયેલા કુલ 73 કેસમાંથી એજન્સીને જેહાદી આતંકવાદ સાથે સંબંધિત માત્ર 35 કેસ મળ્યા છે. વર્ષ 2021માં આ સંખ્યા 61 હતી, જે આ વખતે (વર્ષ 2022માં) વધીને 73 થઈ ગઈ છે. નોંધાયેલા કેસોની આ સંખ્યા 2021 ની સરખામણીમાં 2022માં 19.67 વધુ હતી. એનો અર્થ એ છે કે છેલ્લાં ઘણાં વર્ષોમાં NIA દ્વારા એક વર્ષમાં નોંધાયેલા કેસોની આ સંખ્યા સૌથી વધારે કહી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here