નવરાત્રિમાં 12 વાગ્યાથી શરૂ થતા કર્ફ્યૂનો અમલ માત્ર બે દિવસ સુધી રહેશે

0
91
આવતીકાલથી રાત્રિના 12 કલાકથી 10 ઓક્ટોબર સુધી સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશેરાત્રિ કર્ફ્યૂની સમયમર્યાદા અત્યારે રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીની છે,
આવતીકાલથી રાત્રિના 12 કલાકથી 10 ઓક્ટોબર સુધી સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશેરાત્રિ કર્ફ્યૂની સમયમર્યાદા અત્યારે રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીની છે,

અગાઉ ગણેશોત્સવને કારણે 9થી 19 સપ્ટેમ્બર સુધી 12 વાગ્યાથી કર્ફ્યૂ શરૂ થવાની જાહેરાત કરી હતી

રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણ અંગે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. એ ઉપરાંત આગામી સમયમાં નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી મળતાં જ હવે રાજ્ય સરકારે 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાક ઘટાડવાની જાહેરાત કરી છે. ગૃહ વિભાગના જાહેરનામા પ્રમાણે આજથી 10 ઓક્ટોબર સુધી રાજ્યનાં આઠ શહેરમાં રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. આ જાહેરનામું 10 ઓક્ટોબર સુધીનું છે અને નવરાત્રિ 7મી ઓક્ટોબરથી શરૂ થાય છે, પરંતુ ચોથા નોરતેથી નવું જાહેરનામું આવવાની શક્યતાઓ છે, જેથી ગરબાનો સમય પણ રાત્રે એક વાગ્યા સુધીનો રહી શકે છે.આઠ નગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત 25મી સપ્ટેમ્બરના શનિવારે પૂર્ણ થાય છે. 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ સ્થિતિમાં ગુજરાતની નવી સરકાર રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાનાં આયોજનો માટે નવી ગાઈડલાઈન્સ સાથે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં રાજ્યનાં જે 8 મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે ત્યાં આવતીકાલથી રાત્રિના 12 કલાકથી 10 ઓક્ટોબર સુધી સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશેરાત્રિ કર્ફ્યૂની સમયમર્યાદા અત્યારે રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીની છે, એમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના 12થી 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે એ સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવાં આયોજનો 400 વ્યક્તિની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે કોઇપણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહીં.લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિની જે મર્યાદા હતી એમાં વધારો કરીને હવે 400 વ્યક્તિની છૂટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારી દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય એ હિતાવહ રહેશે. આવાં આયોજનોમાં લાઉડસ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here