ઓમિક્રોન સામે વેક્સિન અસરકારક નથી: એક્સપર્ટ્સ

0
98
સ્ટડીમાં સામેલ અનેક લોકોમાં તો એન્ટિબોડી લેવલ એટલું ઓછું થઈ ગયું કે જે વાઇરસને રોકવામાં બિલકુલ કારગત નથી.
સ્ટડીમાં સામેલ અનેક લોકોમાં તો એન્ટિબોડી લેવલ એટલું ઓછું થઈ ગયું કે જે વાઇરસને રોકવામાં બિલકુલ કારગત નથી.

ભારતમાં પણ ટૂંક સમયમાં ત્રીજો ડોઝ અપાશે

એક્સપર્ટ્સના મતે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન પર વેક્સિન અસરવિહીન બની શકે છે. એ પછી એક તરફ જ્યારે વેક્સિન કંપનીઓ વેક્સિનમાં ફેરફાર કરી રહી છે ત્યારે બીજી તરફ બૂસ્ટર ડોઝ આપવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. બ્રિટને વધતા કેસોની વચ્ચે ડિસેમ્બર સુધી 18થી વધુ વયના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે.સમજીએ, ઓમિક્રોન પર વેક્સિન કેટલી ઈફેક્ટિવ છે, એના વિશે સ્ટડી શું કહે છે? ઓમિક્રોનનો સામનો કરવા વેક્સિન નિર્માતા કંપનીઓ કેવા પ્રકારની તૈયારીઓ કરી રહી છે? અને શું ઓમિક્રોનથી બચવા માટે તમારે બૂસ્ટર ડોઝ લેવો પડશે?…

ઓમિક્રોન પર વેક્સિનની ઈફેક્ટિવનેસને લઈને સ્ટડી શું કહે છે?

  • ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ પોતાના પ્રી-પ્રિન્ટ સ્ટડીમાં કહ્યું છે કે ઓમિક્રોનની વિરુદ્ધ ફાઈઝર અને મોડર્નાની વેક્સિન ઓછી કારગત છે. આ સ્ટડી માટે રિસર્ચર્સે વેક્સિનનો સેકન્ડ ડોઝ લઈ ચૂકેલા લોકોમાં 28 દિવસ પછી એન્ટિબોડી લેવલ ચેક કર્યું. સ્ટડીમાં સામેલ અનેક લોકોમાં તો એન્ટિબોડી લેવલ એટલું ઓછું થઈ ગયું કે જે વાઇરસને રોકવામાં બિલકુલ કારગત નથી.
  • એના પછી જોખમ વ્યક્ત કરાઈ રહ્યું છે કે એનાથી ફુલી વેક્સિનેટેડ લોકોમાં પણ બ્રેકથ્રુ ઈન્ફેક્શનનું જોખમ વધી જશે, જેનાથી કેસો વધી શકે છે. જોકે હજુ એ ખ્યાલ નથી કે એનાથી હોસ્પિટલાઈઝેશન અને ગંભીર લક્ષણોમાં કેટલો વધારો થશે. સ્ટડીમાં સામેલ રહેલા ગેવિન સ્ક્રીટન કહે છે કે સ્ટડીનાં પરિણામો દર્શાવે છે કે જે લોકો બૂસ્ટર ડોઝ માટે એલિજિબલ છે તેઓ શક્ય એટલી જલદી ડોઝ લે.
  • ગત સપ્તાહે જારી બ્રિટનની હેલ્થ સિક્યોરિટી એજન્સીના એક રિપોર્ટ અનુસાર, ઓમિક્રોન વિરુદ્ધ વેક્સિનના બે ડોઝ ડેલ્ટાના મુકાબલે ઓછા કારગત છે.
  • સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ અમેરિકામાં મળેલા 43 ઓમિક્રોન દર્દીઓને એનેલાઈઝ કર્યા છે, તેમાંથી 34 દર્દી એવા છે જેમને વેક્સિનના બંને ડોઝ લાગી ચૂક્યા છે. તેના પછી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ઓમિક્રોનને કારણે વેક્સિનની ઈફેક્ટિવનેસ ઓછી થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here