કટારિયાને રાજ્યપાલ બનાવીને તેમનું પત્તું કાપી નંખાયું છે કે જેથી સતિષ પુનિયા સામેની હરીફાઈ ઘટે. છત્તીસગઢના રમેશ બૈંસને મહારાષ્ટ્ર જેવા મહત્વના રાજ્યપાલ રાજ્યમાં જૂથબંધી ઓછી કરવા જ બનાવાયા છે. ભૂતપૂર્વ લોકસભા સાંસદ અને વરિષ્ઠ નેતા સી.પી. રાધાકૃષ્ણનને તમિલનાડુની બહાર મોકલીને પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઇ સામેનો વિરોધ દબાવી દેવાયો છે. રાધાકૃષ્ણનને અન્નામલાઈ સાથે ગંભીર મતભેદ હતા અને તેમની કાર્યશૈલી અંગે હાઈકમાન્ડને ફરિયાદ કરી હતી. જો કે અન્નામલાઇના કામથી ભાજપ હાઇકમાન્ડ ખુશ છે તેથી રાધાકૃષ્ણનને દૂર કરી દેવાયા છે. આમ ભાજપે એક કાંકરે 2 પક્ષી મારવાનું કામ કર્યું છે. નેતાઓ નારાજ પણ ના થાય અને ચૂંટણી પૂરી થઈ જાય…